Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જૂનાગઢમાં શીશુ મંગલ સંસ્થાઓની બાળાઓને ચણીયાચોળી અપાઇ

જુનાગઢ : શીશુ મંગલ સંસ્થાની બાળાઓને ચૈત્રી નવરાત્રી દરમ્યાન પદ્મશ્રી ભીખુદાન ગઢવીના હસ્તે ચણીયા ચોળીનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ભીખુદાન ગઢવીએ બાળકો સાથે  વાર્તાલાપ અને વિનોદગોષ્ઠી કરેલ આ સંસ્થામાં આવવાથી પોતીકાપણાનો અહેસાસ થાય છે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે જે. સી. આઇ. જુનાગઢ હતું. આ કાર્યક્રમમાં જુનાગઢના નામાંકિત વકીલ કે. બી. સંઘવી, અરવિંદ સોની, જયશ્રીબેન સંઘવી, મહિલા જે. સી. આઇ. ના પ્રેસીડેન્ટ જયોત્સના હિરપરા તેમજ કેતકીબેન જાની ઉપસ્થિત રહ્યા હતાં.

(11:53 am IST)