Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજુલા નગરપાલિકાનાં મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર : સત્તા ગુમાવી

કોંગ્રેસના ૧૯ સભ્યોએ કોંગ્રેસનાં જ મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુકયો હતો : હવે નવા મહિલા પ્રમુખ માટે જનરલ બોર્ડ મળશે

રાજુલા તા.૧૭ : રાજુલામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ  જતા હવે નવા મહિલા પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસના ઉપપ્રમુખ જનરલ બોર્ડ બોલાવશે.

છેલ્લા બે દાયકા બાદ રાજુલા પાલિકામાં ર૮ બેઠકોમાંથી ર૭ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.

મહિલા કોંગ્રેસની ટર્મ હોવાથી મીનાબેન વાઘેલાની તથા ઉપપ્રમુખ પદે છત્રજીતભાઇ જાખડાની તથા  અન્ય ચેરમેનોની બિનહરીફ વરણી કરાઇ હતી.

ત્યારબાદ સવા મહિનાના ટુંકા ગાળમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી.

જેમાં ર૭ માથી ૧૯ કોંગ્રેસના સભ્યોએ પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ દરખાસ્ત પસાર કરતા મીનાબેન વાઘેલાની જગ્યાએ હવે નવા મહિલા પ્રમુખની વરણી કરવામાં આવશે.

(1:08 pm IST)