Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મીઠાપુર : સુરજકરાડીયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર સુરજકરાડી ગામે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરાઇ હતી. મીઠાપુર રેકડીબજાર નજીક આવેલા હરસિધ્ધિ ચોકમાં રાત્રે ભીમભજન, આરંભડા ખાતે દાંડીયારાસ તેમજ જન્મદિવસની કેક બનાવી પી.આઇ ચંદ્રકલાબા જાડેજાના હસ્તે કેક કપાવી હતી. ત્યારબાદ સાંજે જયભીમના નારા સાથે મીઠાપુર સુરજકરાડીના રાજમાર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપુર્ણ વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન થયું હતુ. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(11:42 am IST)