Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગીરના સિંહોના સંરક્ષણ મુદ્દે જૂનાગઢમાં બેઠક ;સિંહના મોત અને બચાવ અંગે ચર્ચા

બેઠકમાં વનવિભાગ,પીજીવીસીએલ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ રહયા ઉપસ્થિત

ગીરમાં વસતા સિંહોના સંરક્ષણ મુદ્દે જૂનાગઢમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વન વિભાગે રેન્જ આઈ.જી કક્ષાના અધિકારીઓ સાથે યોજેલ બેઠકમાં PGVCL,પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.વન વિભાગ દ્વારા આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે સિંહના મોત અને બચાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કેટલાય સિંહોના મોત થયાં છે તો ક્યારેક સિંહ રેલ્વે ટ્રેક પર ફરતા જોવા મળ્યા હતા તો ક્યારેક રોડ પર ફરતા જોવા મળ્યા હતા ત્યારે ક્યારેક સિંહો સાથે કોઇ અઘટિત બનાવો પણ બનતા હોય છે.

  તાજેતરમાં એક એવો VIDEO પણ વાયરલ થયો હતો જેમાં કેટલાક તત્વો દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી હતી. આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા લોકો સામે દંડાત્મક પગલા લેવામાં આવે તે બાબતે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

(12:33 pm IST)