Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પોરબંદર ઇ-ધરા કેન્દ્ર બપોર બાદ ચાલુ રાખવા કલેકટરને રજૂઆત

પોરબંદર, તા. ૧૭ : કોંગ્રેસ અગ્રણી નીતિનકુમાર દવેએ કલેકટર હસ્તક મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમ હેઠળ સીટી સર્વે કચેરીની પ્રોપર્ટી કાર્ડની વિન્ડો અને અર્બન ઇ-ધરા કેન્દ્રનો સમય સવારના ૧૦ વાગ્યાથી સાંજના પઃ૪પ સુધીનો કરવા માંગણી કરી છે.

સીટી સર્વે કચેરીમાં વન-ડે ગર્વનન્સના નામે અને ડીઝીટલ ઇન્ડીયા અંતર્ગત અર્બન ઇ-ધરા કેન્દ્રના નામથી પ્રોપર્ટી કાર્ડ જેવા મહત્વના ડોકયુમેન્ટ આપવા માટે વિન્ડ શરૂ કરવામાં આવેલ. પરંતુ તેનો સમય સવારના ૧૦:૪પ થી ૧રઃ૩૦ બપોરના સુધીનો રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આ વિન્ડો બંધ થવાથી અરજદારને ફરજીયાત સીટી સર્વે કચેરીમાં જઇ અને પ્રોપર્ટી કાર્ડ કઢાવવું પડે છે અને તેમાં પણ અરજદારને કાલે આવજો તેવો જવાબ આપવામાં આવે છે તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

(11:40 am IST)