Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સોમનાથમાં અનેરા દર્શનનો લાભ મળ્યો

સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીના ૧૦ કલાકે જયોતિ પૂજન પ્રસિધ્ધ શિવ ભજનીક શ્રી કલા રામનાથના હસ્તે કરવામાં આવેલ, સાથે જ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ અધિકારી/કર્મચારી, તીર્થ પુરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયેલ, તેમજ શ્રી સોમનાથ મંદિરમાં રાત્રીના ૧૦:૩૦ કલાકે શ્રી કલા રામનાથ-પ્રસિધ્ધ શિવ ભજનીક જેને રાષ્ટ્રપતિ ના હસ્તે સંગીત નાટક અકાદમી નેશનલ એવોર્ડ પણ મળેલ, તેમજ સાથે વાયોલીન વાદક દ્વારા મંદિર સૂર વંદના પણ કરવામાં આવેલ, શ્રી સોમનાથ મહાદેવની રાત્રે ૧૧ કલાકે મહાપૂજા, ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર માસની શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.

(11:38 am IST)