Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મધ્યપ્રદેશ બસ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ

રાજકોટ,તા. ૧૭: જીવનની અનિશ્ચિતતાઓનો વધુ એક તાજો દાખલો એટલે ગઈકાલે મધ્યપ્રદેશમાં ઘટેલી બસ દુર્ઘટના. અખબારી હેવાલો અનુસાર ગઈકાલે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં ૪૮ લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે.

શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. ૫ હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે. મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા ૧૭ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યકત કરી છે.

(1:04 pm IST)