Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પાલીતાણાનાં નાનીમાળમાં એક સાથે ૮૦ મરઘાના મોતઃ બર્ડ ફલુની આશંકા

મૃતદેહોના સેમ્પલો લઇને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલાયા

ભાવનગર તા. ૧૭: પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે છેલ્લા અઠવાડિયામાં ૮૦ કરતાં વધુ દેશી મરઘાના મોત નિપજતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગેની જાણ થતાં તંત્ર નાનીમાળ ગામે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં અસંખ્ય મરઘાઓના મોત બાદ મૃત મરઘાના સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે છેલ્લા અઠવાડિયાથી કોઇ અગમ્ય કારણોસર ૮૦ દેશી મરઘાના મોત થઇ રહ્યા છે, જેને લઇને પશુપાલન વિભાગની ટીમ નાનીમાળ ગામે પહોંચી હતી અને મરઘાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

(11:02 am IST)