Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માસિકધર્મમાં રહેલી સ્ત્રીના જો રોટલા ખાશો તો નરકમાં જશો ભુજ સ્વામી,મંદિરના સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન: ચકચાર

વિદ્યાર્થીનીઓ સાથે યોજેલ બેઠકમાં જ સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીનું નિવેદન

(ભુજ) ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ મહિલા કોલેજમાં દીકરીઓના માસિક ધર્મની તપાસ માટે આચાર્યા અને સ્ટાફ દ્વારા કરાયેલા કૃત્યના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઈ સાથેના ત્રણ સભ્યોની ટીમ ગઈકાલે ભુજ પહોંચી આવી હતી. તેમણે સહજાનંદ કોલેજની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે બેઠક યોજી હતી આ દરમિયાન ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી એ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે માસિકધર્મમાં રહેલી સ્ત્રીના જો રોટલા ખાશો તો નરકમાં જશો. આવા નિવેદનથી ભારે ચર્ચા જાગી છે

(8:05 pm IST)