Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ધોરાજીના સેવાભાવી એન્જીનીયર મોહનભાઇ ગજેરાનું અવસાન : સાંજે બેસણું

સમાજની વાડી અને મંદિરોની કલાત્મક ડિઝાઇનો માટે અનેક વખત સન્માન કરાયેલ

ધોરાજી, તા. ૧૭ : સેવાભાવી એન્જીનીયર મોહનભાઇ કાળાભાઇ ગજેરાનું અવસાન થયું છે. તેઓએ અનેક મંદિરો તથા સમાજની વાડીઓના બિલ્ડીંગનો કલાત્મક ડિઝાઇનો વિનામૂલ્યે તૈયાર આપી હતી.

તેમના મિત્ર મનસુખભાઇ એ જણાવેલ કે સૌપ્રથમ ધોરાજી નજીક આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ખોડસરીની ડિઝાઇન બનાવેલ બાદમાં ઘણી સાર્વજનિક સ્કૂલોની ડિઝાઇન બનવોલલ અનેત એોએ જામકંડોરણા કન્યા છાત્રાલય કુમાર છાત્રાય અને સ્કૂલો અને જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સમાજ ડિઝાઇનો વિના મૂલ્યે બનવોલ. ધોરાજી ખાતે આવેલ સમાજ નિર્માણની ડિઝાઇનો એ વખતે પૂર્વ સાંસદ અને સમાજ શ્રેષ્ઠી અરવિંદભાઇ પટેલએ પણ તેઓને સન્માનીય કરેલ.

ધોરાજી તાલુકાઓમાં તેમજ કેશોદ, મેંદરડા અને જુનાગઢ ખાતે સમાજ નિર્માણના કાર્યમાં સેવાઓ આપે. જુનાગઢ ખાતે ડો. સુભાષ ચાવડા અહીર કેળવણી મંડળની ડિઝાઇન તેમજ દલીત સમાજની વાડી અને ધોરાજી ગરબી મંડળનો ચબુતરો સ્ટેઇઝ પાટણવાવ ખાત સ્કૂલ અને સમાજ સહિત સંખ્યાબંધ સમાજ ભવનો અને સ્કૂલોની ડિઝાઇનો બનાવી તેઓ પોતાના ખર્ચ ત્યાં વિઝીટમાં જવા આવા સમાજ શ્રેષ્ઠી મોહનભાઇ ગજેરાનું અવસાન થતાં અગ્રણીઓ સહિતનાએ શ્રદ્ધા સુમન અર્પણ કરી તેઓની સમાજ સેવાને બીરદાવી હતી.

બેસણું આજે તા. ૧૭મીએ સાંજે ૪ થી ૬, લેઉઆ પટેલ સમાજ વિભાગ-ર, જમનાવાડ ખાતે રાખેલ છે.

(11:44 am IST)