Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

કેશોદમાં દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે એક દિવસની આવક શહીદોના પરિવારને આપી દીધી

લોકોએ આ પહેલને આવકારી :ગણતરીની મિનિટોમાં દાળ પકવાન ખાલી થઇ ગયા

જૂનાગઢના કેશોદ ખાતે દાળ પકવાન વેચીને ગુજરાન ચલાવતા વ્યક્તિએ પણ આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે આજની દિવસની કમાણી શહીદોના પરિવારને આપવાની જાહેરાત કરી હતી.

  એક સામાન્ય રેંકડીવાળાની દેશભક્તિની આ ભાવનાને સ્થાનિકોએ પણ આવકારી હોય તેમ ગણતરીની મિનિટોમાં દાળ પકવાન ખાલી થઈ ગયુ હતુ.

(1:29 pm IST)