Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સુરેન્દ્રનગરમાં દબાણ ન હટાવાય તો દલિત સમાજના ૩ યુવકો દ્વારા આત્‍મવિલોપનની ચિમકી

સુરેન્‍દ્રનગરઃ કલેક્ટર કચેરી પાસે છેલ્લા 6 દિવસથી ઉપવાસ પર બેઠેલા 3 દલિત સમાજના લોકોએ આત્મ વિલોપનની ચીમકી આપી છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામમાં અસામાજીક તત્વોના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે દલિત સમાજના 3 લોકો ઉપવાસ પર બેઠા છે.ત્યારે હવે આ ગેરકાયદેસર દબાણો 24 કલાકમાં દૂર કરવામાં નહિ આવે તો આ શખ્સોએ આત્મ વિલોપનની ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ પાટણના એક દલિત અગ્રણી દ્વારા આત્મવિલોપન કરવામાં આવેલ જેમાં તે આખા શરીરે દાઝી ગયેલા હોવાથી ગત મોડી રાતે તેમનું અપોલો હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું,જેને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુ. અને ઠેર-ઠેર દલિતોએ ચક્કાજામ કર્યા હતા.

(7:46 pm IST)