Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જામનગરમાં ૩ અપમૃત્યુ

જામનગર તા. ૧૭ :  રાજકોટમાં આવેલ મહુડી પ્લોટ વિસ્તાર સોરઠીયા વાડીની બાજુમાં રહેતા મોહન વશરામભાઈ માધાણી ઉ.વ. ૪પ એ જામનગર પંચ એ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૧૩–ર–૧૮ ના રોજ આ કામે મરણ જનાર વશરામભાઈ લીંબાભાઈ માધાણી ઉ.વ. ૭૮ રહે. ધુડશીયા વાળા પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–પીપ–૮૬ લઈ પોતાની વાડીએ જતા હતા ત્યારે મોટર સાયકલ સ્લીપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે કાલાવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું સારવાર બાદ તા. ૧૬ ના રોજ મૃત્યુ નિપજેલ છે.

રસોઇ બનાવતા દાઝી  ગયેલ વૃધ્ધાનું મૃત્યુ

રાજકોટ પોલીસ મથકના દેવરાજભાઈ એ કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ર૭–૧–૧૮ ના રોજ કાલાવડ જીવાપર રોડ પર આવેલ રાધેશ્યામ આશ્રમ પાસે રહેતી મણીબેન મોહનભાઈ ચાવડા ઉ.વ. ૬પ એ પોતાના ઘેર ચુલા પર રસોઈ બનાવતા હોય ગેસ લીકેજ થતાં આગ લાગતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેણીનું સારવાર બાદ તા. ૧૬ ના રોજ મૃત્યુ નિપજેલ છે.

યુવકે ટ્રેન નીચે પડતું મુકયું

અહીં કિશાન ચોકમાં રહેતા ગીરધરભાઈ ગાંગજીભાઈ પરમાર ઉ.વ. ૩૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧૬ ના રોજ આ કામે મરણ જનાર જગદીશ મંગાભાઈ પરમાર ઉ.વ. ૩૧ રહે. અંધાશ્રમ આવાસ કોલોની એ પોતાનો ભાઈ ચારેક વર્ષ પહેલા અકસ્માતમાં મરણ ગયેલ હોય તેના વિયોગમાં પોતે પોતાના હાથે ટ્રેન નીચે આવી જઈ મરણ ગયેલ છે.(૨૧.૨૧)

(1:02 pm IST)