Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દીન દયાળ (કંડલા) પોર્ટનાં ચેરમેનનો ચાર્જ સંજય ભાટીયાને

અત્યારે સંજય ભાટીયા મુંબઇ પોર્ટનાં ચેરમેન -રવિ પરમાર નિવૃત

ભુજ તા. ૧૭ :.. દીન દયાળ (કંડલા) પોર્ટનાં ચેરમેન રવિ પરમાર વય મર્યાદાનાં કારણે નિવૃત થયા છે. જો કે, સ્માર્ટ સીટી અને કંડલા પોર્ટનાં વિકાસ માટે હજારો કરોડની યોજનાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રભાવિત કરનારા રવિ પરમારને એકસટેન્શન અપાશે એવી ચર્ચાઓ હતી. પરંતુ બિહાર કેડરનાં આઇએએમ અધિકારી રવિ પરમાર સામે તેમના કાર્યકાળ દરમ્યાન બિહારનું જુનુ કૌભાંડ ચર્ચામાં આવ્યુ હતું. જો કે, અનેક અટકળો પછી હવે કંડલા પોર્ટ (નવુ નામ દીન દયાળ પોર્ટ) ડીપીટીનું સુકાન અત્યારે ઇન્ચાર્જ ચેરમેન તરીકે સંજય ભાટીયાને સોંપાયું છે.સંજય ભાટીયા મહારાષ્ટ્ર કેડરનાં આઇએએસ અધિકારી છે. અત્યારે મુંબઇ પોર્ટના ચેરમેન છે.

(11:58 am IST)