Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જેતપુર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા હસ્તે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝનો પ્રારંભ કરાવાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર  ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા વરદ હસ્તે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
  આ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે પ્રધાનમંત્રી .નરેન્દ્રભાઈ મોદી  દ્વારા કોરોના વેક્સીનેશનના પ્રથમ રાઉન્ડના પ્રારંભને અનુલક્ષીને જેતપુર શહેરના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રન્ટલાઈન કોરોના વોરીર્યસને કોરોના વેક્સીનેશનનો પ્રથમ ડોઝ આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે
  કોરોના વેકેસીન બાબતે કોઈ લોકો એ ખોટી અફવાથી દોરાવુ નહીં અને વધુમાં વધુ લોકો સરકારના નિયમ પ્રમાણે જે પ્રકારે નક્કી થાય એ પ્રમાણે સૌએ આ મહત્વનો લાભ લેવા બાબતે પણ લોકોને જણાવ્યું હતું
  કાર્યક્રમમાં જેતપુર ના સરકારી અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(8:33 pm IST)