Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પોરબંદરમાં ઉત્તરાયણમાં ઈજા પામેલા 120થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ

ડોકટર્સની ટીમે એક દિવસમાં ૧૪ કલાક ફરજ બજાવી ઘાયલ પક્ષીઓની કરી સારવાર

ઉતરાયણ પર્વ નિર્મિતે આકાશમા ચગતી પતંગોનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવા પોરબંદર શહેર સહિત જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા ખાતે પશુ દવાખાનાની ૧૯૬૨ નંબરનાં વાહન મારફતે ડોકટર્સ દ્વારા તત્કાલ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે, ૧૨૦ જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર અપાઈ હતી 

કરૂણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી રહી છે. જ્યારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજ્યા છે. મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોંચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ એક દિવસમાં સતત ૧૪ કલાક જેટલો સમય સેવા કરીને ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી.

(3:08 pm IST)