Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગોંડલમાં ઝેરી એઠવાડ ખવડાવતા ગાય અને ખૂંટના મોત

ગોંડલ તા. ૧૭ : જેતપુર રોડ પીરની આંબલી પાસે બુધવારની મોડી રાત્રે મારૂતિ વેનમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ ૨૦ થી ૨૫ જેટલા પશુઓના ઘણ વચ્ચે ઝેરી એઠવાડ નાખ્યો હતો જે એઠવાડ ખાવાથી એક ગાય અને એક ખૂંટ નું મોત નિપજતા ગૌ સેવકોમાં રોષ ફેલાયો હતો.

ઘટનાની જાણ ગૌસેવક રાજુભાઇ ખઢેડિયા, જયકરભાઈ જીવરાજાની અને ગોપાલભાઈ ટોળીયા સહિતનાઓને થતા આશરે દોઢસોથી પણ વધુ ગૌસેવકો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને પશુઓને એઠવાડ ખાતા અટકાવ્યા હતા અને એઠવાડ ને એકઠો કરી શહેરની બરોબર ખાડો ખોદી નાશ કર્યો હતો. બાદમાં આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મારૂતિ વાનમાંથી કેટલાક શખ્સો ઉતરી એઠવાડ નાખતા દેખાયા હતા. પશુ ધનના મોત થી ગૌસેવકો માં રોષ ફેલાયો હતો.

(3:54 pm IST)