Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જામનગર આર્ય સમાજના સ્થાપના દિને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

જામનગર : આર્યસમાજ જામનગરનાં ૯૩માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૩માં વાર્ષિકોત્સવના ઉપલક્ષ્યમાં જામનગર શહેર અને જીલ્લાની પ્રાથમીક શાળાઓની વિદ્યાર્થીનીઓની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ સ્પર્ધામાં શાળાના પૂર્વ આચાર્ય પુણ્યશ્લોક મનહરબેન દવેની સ્મૃતિમાં શિલ્ડ એનાયત કરેલ. સ્પર્ધામાં પ્રથમ આશરા મહેક જયેશભાઇ (શ્રીમદ્ દયાનંદનકન્યા વિદ્યાલય), દ્વિતીય રાવલીયા રિધ્ધિ સુમનભાઇ (નગર પ્રાથમીક શિક્ષણ સમિતી શાળા નં.૬૦), તૃતીય ભટ્ટ ભૂમિ ગીરીશભાઇ (શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય)ને મળેલ હતું. આ સમારંભના અધ્યક્ષ તરીકે દિપકભાઇ ઠક્કર (પ્રમુખ આર્યસમાજ જામનગર), અતિથી વિશેષ તરીકે, જામનગર શહેર ભાજપના પ્રમુખ હિંડોચા લાખાભાઇ કેશવલાલ, નિર્ણાયક તરીકે સી.પી. વસીયા, હીનાબેન ગોડેશ્વરે સેવાઓ આપેલ. સંસ્થા તરફથી પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરનેઇનામો અને શિલ્ડ સંસ્થાના પ્રમુખ દિપકભાઇ ઠક્કર, મહેશભાઇ રામાણી,અને ઉપપ્રમુખ કિર્તીબેન ભટ્ટ અને દરેક સ્પર્ધકને પ્રાત્સાહક પારિતોષીકો, રોકડ પુરસ્કાર મહેશભાઇ રામાણી, પુણ્યશ્લોક કાંતાબેન જેન્તીલાલ ઠક્કરની પુણ્યસ્મૃતિમાં, પુણ્યશ્લોક લગનભાઇ રામજીભાઇ મહેતાની પુણ્યસ્મૃતિમા, શ્રી સમીરભાઇ રાવલ અને સંસ્થા તરફથી આપવામાં આવેલ. અધ્યક્ષશ્રી ઉદબોધન શ્રી દિપકભાઇ ઠક્કરએ કરેલ.ઉકત સમારોહમાં સંસ્થાના માનદ્ મંત્રી મહેશભાઇ રામાણી, ઉપપ્રમુખશ્રી કીર્તિબેન ભટ્ટ, કોષાધ્યક્ષશ્રી વિનોદભાઇ નાંઢા, પુસ્તકાચધ્યક્ષ દીપકભાઇ નાંઢા, નરેન્દ્રભાઇ મહેતા, પ્રભુલાલભાઇ મહેતા, જશવંતભાઇ નાંઢા, સતપાલજી આર્ય, ધીરૂભાઇ નાંઢા, ભરતભાઇ આશાવર,ડો. ધીરૂભાઇ ભટ્ટ, શ્રીમતી નિમુબેન રામાણી, શ્રીમતી આશાબેન ઠક્કર, ઉષાબેન બરછા, વિશ્વાસભાઇ ઠક્કર, તેજ ઠક્કર, પ્રફુલાબેન રુપડીયા, સ્વાતિબેન જોશી ઉપસ્થિત રહયા હતા.ઙ્ગ

કાર્યક્રમને સફળ બનાવવા  જયશ્રીબેન દાઉદીયા, ભારતીબેન પરમાર, ભાવનાબેન વાઘેલા, જયોતિબેન પરમાર, કીષાબેન માંકડ, પારૂલબેન પરમાર, યોગીતાબેન ભટ્ટ,ઋત્વીબેન રાજાણી, અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીરો)

(1:02 pm IST)