Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જૂનાગઢમાં વઘાસિયા પરિવારનું સ્નેહમિલન વિવિધ કાર્યક્રમો સાથે યોજાયું

જુનાગઢઃ શહેર અને તાલુકા વદ્યાસિયા પરિવારનું દ્વિતિય સ્નેહમિલન જુનાગઢના ખોડલ ફાર્મ ખાતે યોજાયું હતું. આગેવાનોના હસ્તે દિપપ્રાગટ્ય અને દીકરીઓની પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ આ પ્રસંગે નિવૃત્ત્। કર્મચારીઓનું સન્માન કરાયું હતું. જયારેઅભ્યાસમાં તેજસ્વી બાળકોને શૈક્ષણિક કિટ્સ અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા. પરિવારના વિશિષ્ટ સિદ્ઘિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ બહેનો રોજગારી મેળવી પરિવારનો ઉત્કર્ષ કરી શકે તે માટે દાતાઓના સહયોગથી સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. અગ્રણી ઉદ્યોગપતિ જેન્તીભાઈ વઘાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખોડલધામના પૂર્વ પ્રમુખ અને સરદારધામના ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરાએ જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી. વધાસિયા ભાર્ગવ વદ્યાસિયાએ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં સુરત પરિવારના પ્રમુખ વિનુભાઈ વઘાસિયા, અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ વઘાસિયા, રાજકોટના પ્રમુખ પરસોત્ત્।મભાઈ વઘાસિયા, અમરેલી સહકારી બેન્કના પૂર્વ એમડી જીણાભાઈ વઘાસિયા, ડો.ભોવાનભાઇ વઘાસિયા, રસિકભાઈ વઘાસિયા , અતુલભાઈ વઘાસિયા, વધાસિયા પરિવારના મઢના આગેવાનો જેન્તીભાઈ, નાગજીભાઈ અને કાન્તીભાઈ, પીએસઆઈ સંજયભાઈ વઘાસિયા, દિપાબેન વદ્યાસિયા, નયનાબેન વઘાસિયા, પ્રવિણાબેન વઘાસિયા, વશરામભાઈ વઘાસિયા, ધીરૂભાઈ વઘાસિયા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સકળ બનાવવા માટે જૂનાગઢ વઘાસિયા પરિવારના અનિલભાઈ ભાણજીભાઈ, જયંતીભાઈ અરજણભાઈ, મનોજભાઈ સવજીભાઈ, યોગેશભાઈ રતીભાઈ, મનીષભાઈ બચુભાઈ, વિપુલભાઈ કિશોરભાઈ, અશ્વિનભાઈ રણછોડભાઈ, અશોકભાઈ જીવાભાઈ, લાલજીભાઈ બાવનજીભાઈ , ઠાકરશીભાઈ ગોવિંદભાઈ , અતુલભાઈ લક્ષ્મણભાઈ, રાકેશભાઈ જીવરાજભાઈ, આશિષભાઈ ખીમજીભાઈ , ડો.રાજેશભાઈ કાનજીભાઈ , રમેશભાઈ કરશનભાઈ, કુમનભાઈ જીણાભાઈ, ભાવેશભાઈ હરસુખભાઈ , મહિલા સમિતીના ઝોન પ્રમુખ મંજુલાબેન રતિલાલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(1:00 pm IST)