Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કોડીનારમાં વીર સમ્રાટ માંધાતા જયંતિ ઉજવણી

કોડીનારઃ ઉત્તરાયણનો પર્વ એટલે કોળી સમાજ માટે અનેરો અને મહત્વનો ઉત્સવ આ દિવસે તેઓના કુળ માં ચક્રવર્તી વીર સમ્રાટ માંધાતાનો જન્મ થયો હતો. દેશમાં કોળી સમાજ દ્વારા અલગ અલગ રીતે ઉત્સવ મનાવવામા આવે છે. ત્યારે કોડીનારમા સમસ્ત કોળી સમાજ દ્વારા વીર સમ્રાટ માંધાતાની જન્મ જયંતિએ અત્રેની કોળી સમાજની વંડીએથી વિશાળ શોભાયાત્રા કાઢી અને શહેર ભરમાં મુખ્ય માર્ગો પર ફરી અને સાંજે ફરી વંડીએ પહોચી સમાપન કરાયુ હતુ અને આ શોભાયાત્રાને દરેક સમાજ દ્વારા ફુલહાર કરી વધાવી હતી. તેમજ બ્રહ્મ સમાજ દ્વારા નાગલદેવી ચોક ખાતે શાંતિ મંત્રના સામુહિક પાઠ સાથે કોળી સમાજને આશીર્વચન આપ્યા હતાં. આ શોભાયાત્રામાં તાલુકા ભરમાંથી કોળી સમાજ તેમજ દરેક સમાજના લોકો બહોળી સંખ્યામા જોડાયા હતા અને ધામ ઘૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રા નીકળી તે તસ્વીર.

(11:38 am IST)