Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ચોટીલા તાલુકામાં માંધાતા પ્રાગટય ઉત્સવ

ચોટીલાઃ શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. જેમાં સમાજનાં રાજકીય આગેવાનો સાથે સામાજીક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઇ બહેનો જોડાયા હતા. ભગવાન માંધાતાની પ્રતિમા સાથે નીકળેલા શોભાયાત્રા તાલુકાનાં આણંદપુર, ચોબારી, સણોસરા, લાખણકા, પિયાવા, મોકાસર, પાંચવડા, કુઢડા થઇને ચોટીલા શહેરનાં મુખ્ય માર્ગ ઉપર ફરેલ હતી અને ગામે ગામ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. સમાજમાં કુરીવાજો દુર થાય, વ્યસન મુકત બને, શિક્ષણનો વ્યાપ વધે અને સંગઠીત બને તે માટે આગેવાનોએ પ્રવચનોમાં હાકલ કરેલ હતી.

(11:33 am IST)