Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ભાવનગરનાં ચણીયાળાની સીમમા પ્રેમીપંખીડાનો આપઘાત

ભાવનગર તા.૧૭: ભાવનગર જીલ્લાનાં ઘોઘાતુલાકના યણીયાળા ગામની સીમમાં નાળા પાસે ખોડીયાર માતાની દેરી નજીકના વડલાના વૃક્ષની ડાળી સાથે ગળાફાંસો ખાધેળ હાલતમાં યુવાન અને યુવતીના લટકતા મૃતદેહ મળી આવતા લોકોના ટોળા ઉમટયા હતા.

આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળએ દોડી આવી મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્પે હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમ્યાન મૃતક યુવાન ઘોઘાના ચણીયાળા ગામનો મહેશ રાણાભાઇ ગોહેલ ઉ.વ.૨૩ જયારે યુવતી સવિતાબેન નરશીભાઇ કોળી ઉ.વ.૨૧ (રહે.ભાંખલ તા.ઘોઘા) હોવાનું ખુલવા પામ્યુ હતું. મૃતક યુવાન-યુવતી વચ્ચે પ્રેમસબંધો હતા. આ બનાવે ઘોઘા પથંકમાં ચકચાર જગાવી છે. આ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:04 am IST)