Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

શાપરના ચંદુલાલ ચાવડાનું બાંધકામ સાઇટ પર બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટી પાસે ગોવિંદનગરમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય કરતાં ચંદુલાલ હમીરભાઇ ચાવડા (ઉ.૪૪) નામના દલિત આધેડ સાંજે પાંચેક વાગ્યે પાંચપીપળા રોડ વિસ્તારમાં બાંધકામની સાઇટ પર હતાં ત્યારે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરાયા હતાં.

મૃત્યુ પામનાર ચંદુલાલ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

ભુલથી એસિડ, ફિનાઇલ પી લેવાના બે બનાવ

જામનગર રોડ જકાતનાકા પાસે ફાતિમા એપાર્ટમેન્ટમાં રહેતો અને છુટક કામ કરતો વારીસ કલ્બેઅબ્બાસ નકવી (ઉ.૩૨) ભુલથી એસિડ પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે કવાર્ટરમાં રહેતી ધર્મિષ્ઠા અજયભાઇ કુડલીયા (ઉ.૧૬) ભુલથી ફિનાઇલ પી જતાં સારવાર લેવી પડી હતી. આ અંગે આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

કુવાડવામાં મહિલા વધુ દવા  પી જતાં તબિયત બગડી

કુવાડવા રહેતાં મીનાબેન દિનેશભાઇ ગોહેલ (ઉ.૩૮) વધુ પડતી દવા પી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

(12:27 pm IST)