Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

'સામાજીક ચેતના' રથયાત્રાનું પરીભ્રમણ

રાજકોટ તા. ૧૬  :  ઉમિયા માતાજી મંદિર સિદસર આયોજીત જુનાગઢ તથા ગીર સોમનાથ જી૯લાની સામાજીક ચેતના રથયાત્રાનો પ્રારંભ આગામી તા. ર૦ થી સોમનાથ મહાદેવના સાંનિઘ્યમાં થશે. અને સમાપન ૮ માર્ચના રોજ ગાંઠીલા ખાતે થશે. સમગ્ર રથયાત્રા ગીર સોમનાથ અને જુનાગઢ જી૯લાના ૧૪ર જેટલા ગામોમાં પ૦ દિવસો માં પરીભ્રમણ કરશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર આયોજીત સામાજીક ચેતના જાગૃતિ રથ યાત્રાનો પ્રારંભ તા. ર૦ જાન્યુઆરીના રોજ સોમનાથ મંદિર ખાતેથી થશે. સોમનાથથી રવાના થઈ આ રથ યાત્રા વેરાવળ, સુત્રાપાડા કોડીનાર ઉના જશે. તા. ર૧ બકુલા ધણેજ, બાબરા, મોટી ધણેજ, ખોરાસા ગીર જશે, તા. રર જામવાળી શેરીયાખાણ ભંડુરી થઈ તા. ર૩ નવા ગળોદર, પાણીધ્રા, પીખોર જુથળ જશે. તા. ર૪ ગાંગેચા, અવાણીયા માળીયાહાટીના થઈ તા. રપ વાંદરવડ, દુધાળા ગીર, સરકડિયા, કડાયા ગીર થઈ તા. ર૬ ના રોજ માતરવાણીયા, તરશીંગડા બોડી, તા. ર૭ શેરગઢ, અજાબ, તા. ર૮ કણેરી, મેસવાણ,, તા. ર૯ ના રોજરંગપુર કાલવાણી થઈ તા. ૩૦ ગેલાણા, સીલોદર, બાવા સીમરોલી મોટી ધંસારી, બાવાની પીપળી થઈ તા. ૩૧ મોવાણા થઈ કેવદ્રા પહોંચશે. તા. ૧ ફેબ્રુઆરી ના રોજ સોંદરડા, કેશોદ થઈ તા. ર ના રોજ કેશોદ, તા.૩ તાલાલા થઈ તા. ૪ ના રોજ વિરપુર ગીર, ધાવા ગીર, પહોંચશે. તા. પ મોરૂકા ગીર, બામણાસા ગીર થઈ તા. ૬ ના રોજ જશાધાર લુંભા, આંબળાશ તા. ૭ ગલીયાવાડ, ધુસીયા ગીર, રમરેસી, તા. ૮ હરીપુર, ચિત્રોડગીર થઈ તા. ૯ ના રોજ અગતરાય, તા. ૧૦ કોઠડી, નાંદરખા, કોઠારીયા, મીતડી, તા.૧૧ નાનડિયા, ઈન્દ્રાણા, વડાળા થઈ તા. ૧ર સીતાણા, ભીતાણા, બાંટવા, તા. ૧૩ ભડુલા, થાપલા કોડવાવ થઈ તા. ૧૪ ના રોજ રફાળા, દડવા ભલગામ, પાજોદ, તા. ૧પ ના રોજ દેશીંગા, વડા, લીંબુડા, ઈન્દ્ર, તા. ૧૬ ગણા, શેરડી, ઉંટડી, બુરી થઈ  તા. ૧૭ ના રોજ ભાણાવદર પહોંચશે. તા. ૧૮ ઝીલાણા, વેળવા ઝીંઝરી, ખડીયા, તા. ૧૯ થાનિયાણા, ચુડવા, સરદારગઢ, તા. ર૦ ના રોજ સુ૯તાનાબાદ, રોણકી, સણોસરા થઈ તા. ર૧ ના રોજ સારંગપીપળી, કતકપરા, ગળવાવ, તા. રર બોડકા, નાવડા, ધંટીયા, બંટીયા, તા. ર૩ ના રોજ ડુંગરી, ઝાંપોદર, તા. ર૪ વંથલી થઈ તા. રપ ના રોજ કોયલી, નાંદરખી, ઉમટવાડા, વાડલા, તા. ર૬ લુવારસર, ધણફુલિયા, શાપુર, તા. ર૭ ટીનમસ, થાણાપીપળી, કણઝા, તા. ર૮ અરણિયાળા, બરવાળા, આલીધ્રા થઈ તા. ૧ માર્ચના રોજ વસપડા, ખડપીપળી, નવાગામ ઈવનગર, તા. ર માર્ચના રોજ ટીંબાવાડી મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તાર થઈ તા. ૩ માર્ચના રોજ જુનાગઢ શહેર વિસ્તાર, તા. ૪ ખામધ્રોળ, જોષીપુરા, દોલતપરા, તા. પ માર્ચ પત્રાપસર, મજેવડી, ગોલાધર થઈ તા. ૬ ના રોજ ભેંસાણ, સરદારપુર, રફાળીયા, તોરણીયા, બિલખા, વિસાવદર, કાલસારી પહોંચશે. તા. ૭ ના રોજ પ્લાસવા બગડુ, મેંદરડા રાજાવડ, આંબલા થઈ તા. ૮ માર્ચે ગાંઠીલા મંદિર પહોંચશે. જયા મા ઉમિયાના જયધોષ સાથે રથ ની પૂજાવીધી સમાપન કરવામાં આવશે.

(11:46 am IST)