Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાલથી ધોરાજી ખાતે પ્રાંસલા ઘટના અંગે પ્રાંત સમક્ષ બે દિ' રજૂઆત કરી શકાશેઃ કલેકટર

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે યોજાયેલ રાષ્ટ્ર કથા શિબિરમાં બનેલ દુર્ઘટના અંગે જે કોઈ વ્યકિતને કોઈપણ પ્રકારની જાણકારી, રજૂઆત, મૌખિક નિવેદન, આધાર પુરાવા કે સોગંદનામુ રજુ કરવા માગતા હોય તેમણે સબ-ડિવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, ગેલેકસી ચોક, ધોરાજી ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરી-૨૦૧૮ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી હાજર રહી રજૂઆત કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેકટર તરફથી ધોરાજીના પ્રાંત અધિકારીશ્રીને આ માટે નિયુકત કરાયા છે તેમ યાદીમાં ઉમેરાયુ છે.

(4:07 pm IST)