Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મોરબી બ્રહ્મસમાજ દ્વારા કલેકટરને આવેદનઃ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા માંગ

મોરબી તા. ૧૭ : વિજ્ઞાનજાથાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। બંધ કરાવવાની માંગ સાથે મોરબીમાં બ્રહ્મસમાજની સંસ્થા દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

 વિપ્રવૃંદ મંડળ મોરબીની આગેવાની હેઠળ આજે રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં વિજ્ઞાનજાથાના નેજા હેઠળ સમાજસેવાના નામે નિર્દોષ લોકોને લુંટવાની ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। ચલાવવામાં આવી રહી છે દોરાધાગાના ધતિંગ બંધ કરવાના નામે નિર્દોષ કર્મકાંડી બ્રાહ્મણો તેમજ હિંદુ ધર્મના મંદિરના સંચાલકોને બ્લેકમેલ કરે છે. દલિત લોકોને આગળ ધરીને એસ્ટ્રોસીટી જેવી કલમો લગાડી ખોટા આક્ષેપો કરે છે આ રીતે તેને જામનગરમાં રહેતા અને કર્મકાંડી નિર્દોષ બ્રાહ્મણ હિતેશભાઈ પર દમન ગુજારવામાં આવ્યું હતું. અને કોઈ ખોટું કરતો હોય તેને રોકવાની જવાબદારી સરકારની છે તેમ રજૂઆતમાં જણાવીને પગલા લેવા માગણી કરી છે.(૨૧.૧૪)

(12:34 pm IST)