Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જામકંડોરણામાં વિઠ્ઠલભાઇ રાદડિયાના દિર્ધાયુ માટે મહાઆરતી-યજ્ઞ યોજાયો

કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા-ચેતનાબેન રાદડિયા સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

જામકંડોરણા : અત્રેની પાંજરાપોળ ગૌશાળા ખાતે પોરબંદરના સાંસદ અને ખેડૂત નેતા એવા વિઠ્ઠલભાઇ રાદડિયાને દીર્ધાયુ માટે યજ્ઞ યોજાયો હતો તે વખતની તસ્વીર. ગૌશાળા ખાતે મકરસંક્રાંતિના અંતર્ગત મહાત્મ્ય ધરાવતા દિવસે ગૌશાળાએ વિદ્વાન પંડીતો દ્વારા મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શાસ્ત્રોકવિધિ અને પૂજા અચર્યના અને મહાઆરતી યોજાયા હતા. આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, ચેતનાબેન રાદડિયા તથા પરિવારજનો ગોવિંદભાઇ રાદડિયા, વિઠ્ઠલભાઇ બોદલ, ચંદુભા ચૌહાણ, જસમતભાઇ કોયાણી, સાવલીયાભાઇ, ગૌસેવાના સેવકો તેમજ જામકંડોરણા ગામ તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ હતા. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી

(11:22 am IST)