Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને અનેરૂ આયોજન.

મોરબી :  ગૌમાતા માતા મા ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે અને હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર સ્થાન આપ્યું છે ત્યારે ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ પરની એવન્યુ પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન આગામી તા.૨૭-૧૨-૨૦૨૧ સોમવાર થી ૨-૧-૨૦૨૨ શનીવાર દરમિયાન કરવામા આવ્યુ છે.

જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે વ્યાસાસને બિરાજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવશે પોથી યાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવશે.
હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાન-પૂણ્ય નો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવા ના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા વિવિધ પ્રસંગોમા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર-મો.૯૯૨૫૭ ૮૦૮૮૮. માવજીભાઈ પટેલ-મો.૯૦૯૯૦૧૭૯૦૦. રમાબેન કોઠીયા-મો.૯૭૨૭૮૭૧૯૧૯. જાગૃતિબેન કૈલા-મો.૯૭૨૬૮૦૭૩૪૦. નિર્મિતભાઈ કક્કડ-મો.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.

(2:18 pm IST)