Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોરબીના નવા બસ સ્ટેન્ડ સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું રીનોવેશન કરવા માંગ.

સામાજિક કાર્યકરે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી.

મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને જગ્યાનું રીનોવેશન કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરે પાલિકાને લેખિત રજૂઆત કરી છે
સામાજિક કાર્યકર મેહુલ ગાંભવાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે દેશના એક રાજકીય અને સામાજિક નેતા એવા સ્વ. સરદાર પટેલે દેશની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું
ત્યારે સરદાર પટેલની પ્રતિમા અને તેની પ્રતિમા આવેલ છે તે ગ્રાઉન્ડ બિસ્માર હાલતમાં છે જે દયનીય સ્થિતિ કહેવાય જેથી પ્રતિમા અને આ જગ્યાનું રીનોવેશન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(2:13 pm IST)