Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

લગ્નના ૧પ દિવસ બાદ ત્રાસ આપી પતિએ છુટાછેડાના કાગળમાં સહી કરાવી લીધી

જુનાગઢની પરીણીતા પતિ અને તેની પ્રેમીકા સામે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢની પરિણીતાને લગ્નના ૧પ દિવસ બાદ અન્ય સ્ત્રી સાથેના પ્રેમને લઇ ત્રાસ આપી પતિએ છુટાછેડાના કાગળમાં સહી કરાવી લઇ મહિલા અને તેના પુત્રને જીવતા મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસમાં રીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા જાગુબેન શૈલેષ બલદાણીયા (ઉ.૩૬) ના લગ્ન અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ જીણાભાઇ બદલાણીયા સાથે થયેલ.

પરંતુ લગ્નના ૧પ દિવસ બાદ પતિએ ઘરકામ બાબતે મારફુટ કરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

તેમજ પતિ શૈલેષને ઉજમાબેન શેખ નામની સ્ત્રી સાથે પ્રેમસંબધ હોય જાગુબેન અને તેના કિરાને જીવતા મારી નાંખવાની ધમકી આપી છુટાછેડાના કાગળમાં સહી કરાવી લીધી હોવાની ફરીયાદ મહિલાએ જુનાગઢના મહિલા પી.આઇ. આર. બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(1:13 pm IST)