Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમરેલીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓનો સર્વજ્ઞાતી વિનામુલ્યે સમુહલગ્ન સંપન્ન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૬ : અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા ર૯મી સર્વજ્ઞાતી સમુહલગ્ન સમારંભમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓના વિનામુલ્યે યોજાઇ ગયેલ સમારંભના આર્શીવચન બાળ હનુમાન મંદિર-અમરેલીના મહંત શ્રી અનીલદાસબાપુ, અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, ભાઇશ્રી શરદભાઇ ધાનાણીના, પ્રમુખ સ્થાને યોજાઇ ગયેલા.

આ સમારંભમાં ઉદઘાટનમાં બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, મનીષભાઇ ભંડેરી તાલુકા પ્રમુખ, જે.પી.સોજીત્રા, જગદીશભાઇ ધરજીયા ભાજપ પ્રભારી, રામજીભાઇ ડાબસરાના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવેલ.

મુખ્ય મહેમાનમાં ગોવિંદભાઇ બાવળીયા-બાબરા, ગોવિંદભાઇ રાઠોડ-બગસરા, લાલજીભાઇ રામાણી-અમરેલી, મોહનભાઇ બારૈયા, ચંદુભાઇ આહીર-બાળ હનુમાન મંદિર, જેતપુરા વકીલ-બગસરા, વલ્લભભાઇ વઘાસીયા-બાળ હનુમાન મંદિર, ઉકાભાઇ વાલાણી-ઇશ્વરીયા, જેઠાભાઇ સોલંકી-દામનગર, દિલાશભાઇ શેખ, કાનજીભાઇ ટપુભાઇ-ધોબા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભના મુખ્ય દાતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય અમરેલી, ઘનશ્યામભાઇ ગઢવી, પ્રદેશ પ્રમુખ ઓ.બી.સી.ગુજરાત રહ્યા હતા.

આ સમુહલગ્નને સફળ બનાવવા માટે ટ્રસ્ટ પ્રમુખ રમેશભાઇ ગોહીલ, સવજીભાઇ ડાભી, પરશોતમભાઇ એન.મકવાણા, રમેશભાઇ આર.ડાભી, ભીખુભાઇ પી. મકવાણા, રતનબેન બલદાણીયા, જગદીશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બાબરીયા, શંભુભાઇ ટી.માલકીયા, રમેશભાઇ બી. મકવાણા, મગનભાઇ વડેચા, લાલજીભાઇ પરમાર, આસોદર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:39 pm IST)