Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનાં સાનિધ્યમાં ધનુર્માસ નિમિત્તે વિશ્વ શાંતી હનુમાન ચાલીસા યજ્ઞ

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ સૌનુ આસ્થાનુ પ્રતિક શ્રદ્ધા કા દૂસરા નામ સાળગપુરધામ કે જ્યાં ધજા ફરકે છે સત ધર્મની એવા સદગુરૂદેવ શ્રી ગોપાળાનંદ સ્વામીજીઍ કરેલ આ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ ની મૂર્તિ ના દર્શન કરવા આજે દૂર દૂરથી લાખો હરિ ભકતજનો દર્શનાથે આવે છે અને દાદા ના દર્શન કરીને તન, મન અને શાંતિ અને ધન્યતા અનુભવે છેૅ એવી આ પાવન તપોભૂમિ મા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપુર આયોજિત પવિત્ર ધનુમાર્સ નિમિતે ૅ દાદા ના દરબારમા આગામી તા.૧૫ / ૧૨ / ૨૦૨૧ થી તા. ૧૪ / ૧ / ૨૦૨૧, ૧૫ ડિસેમ્બર થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન એવમ વિશ્વ કલ્યાણ અર્થે, હરિ પર્સનાતાર્થે વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ નુ ભવ્ય દિવ્ય મંગલ આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. ૧૬ / ૧૨ / ૨૦૨૧ થી ધનુમાર્સ પ્રારંભ થઈ રહયો છે આ અવસરે અહીં જણાવેલ મોં. ૯૮૨૫૮ ૩૫૬૦૬ વ્યકિતનુ નામ , એડ્રેસ સાથે યજ્ઞ તારીખ લખીને મોકલવું સાળગપુરધામ મા દાદાના દરબારમા નોંધાવેલ નામથી યજ્ઞ મા સંકર્લ્પી અને પૂજા પાઠ કરવામાં આવશે અને એડ્રેસ ઉપર  દાદા ના યજ્ઞ ની પ્રસાદી  મોકલાવવામાં આવશે દાદાના ભાવિક ભકતજનો ઘર બેઠા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામ મા વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ કરાવી શકશે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામ, વધુ વિગત માટે સંપર્ક મોં: ૯૮૨૫૮ ૩૫૩૦૬ ઉપર વધુ વિગત મેળવી શકો છો જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ના પ. પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા પ પુ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પ. પુ. પૂજારી સ્વામી  ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.(

(11:34 am IST)