Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત:બે વૃદ્ધોના મોત

છોટા હાથી મેટાડોરને આડે ગાય આવતા તેને બચાવવા જતા અકસ્માત : રિક્ષાચાલક અકસ્માત બાદ ફરાર

ગોંડલના મોવિયાથી શ્રીનાથગઢ જતા રોડ ઉપર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા જુના વાઘણિયા ગામના બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા

મળતી વિગત મુજબ  જુના વાઘણીયા ગામે રહેતા નાનજીભાઈ મોહનભાઈ ગેવરીયા (ઉ.વ. 60) તેમજ નાગજીભાઈ લક્ષ્મણભાઈ બાલધા (ઉ.વ. 77) કાપડની ખરીદી કરવા માટે બાઈક GJ03 BW 1055 લઈ આવી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ મોવિયા રોડ પર રીક્ષા GJ14 AQ 3464 વચ્ચે અકસ્માત સર્જાતા નાનજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું હતું કે, છોટા હાથી મેટાડોરને આડે ગાય આવતા તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો

જ્યારે નાગજીભાઈને સારવાર માટે ગોંડલ થી રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત નિપજતા બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલ લઈ જવાયા હતા બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માત થયા બાદ રિક્ષાચાલક માનવતા નેવે મૂકી નાસી ગયેલ હોય પોલીસે તપાસ હાથ ધરી હતી.

(10:07 pm IST)