Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

વિરમગામમાં યુવાન ગળાફાંસો ખાઇ મોતને શરણ થયો

વઢવાણ, તા. ૧૬ : વિરમગામ શહેરમાં વોડ નં.૨ મા આવેલ પોપટ ચોકડી પાસે વ્રજ વિહાર સોસાયટી ના ફ્લેટ મા વહેલી સવારે અગમ્ય કારણોસર ફલેટ નંબર ૩૦૩ મા રહેતો યુવક મનીષભાઇ હરેસંગભાઇ પરમાર (પીન્ટુભાઇ) ઉમર વર્ષ ૩૫ પોતાના જ દ્યરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી હતી આગળની તપાસ વિરમગામ ટાઉન પોલીસ  હાથ ધરી દ્યટના સ્થળે પોલીસ પહોંચી લાશને પીએમ અર્થ વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાઈ  છે.

ઉલ્લેખનીય છે કે યુવાન પરિણીત હતો અને તેની પત્ની સુરેન્દ્રનગર ખાતે રહે છે અને મળતી માહિતી મુજબ તેની પત્ની ગઈકાલે સુરેન્દ્રનગર થી વિરમગામ આવી હતી તેની પત્ની સુરેન્દ્રનગર ખાતે કટલેરી ની દુકાન ધરાવે છે અને આજે વહેલી સવારે તેની પત્નીને સુરેન્દ્રનગર ખાતે જવા માટે રેલ્વે સ્ટેશન મુકવા ગયો હતો આજે વહેલી સવારે વિરમગામ રેલવે સ્ટેશન પર તેની પત્નીને સુરેન્દ્રનગર જવા માટે મૂકીને આવી આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે.

(1:13 pm IST)