Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સાયલાના ચોરવીરામાં દાઝી જતાં ચકુબેન પરમારનું મોત

રાજકોટ તા. ૧૬: સાયલાના ચોરવીરા ગામે રહેતી ચકુબેન અરવિંદ પરમાર (ઉ.૨૩)નું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ચકુબેન તા.૯ના રોજ દાઝી જતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાત્રે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ  સાયલા પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું કે ચકુબેન ચુલા પર ચા બનાવતી હતી ત્યારે કેરોસીન નાંખતા ભડકો થતાં કેરોસીનનો શીશો ફાટતાં  તેણી દાઝી ગઇ હતી. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. જે મા વિહોણી થતાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:07 pm IST)