Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોરબી રોટરી કલબ દ્વારા સાહિત્ય ગોષ્ઠી

મોરબીઃ રોટરી કલબ ખાતે સાહિત્ય રસિકો માટે સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુ એન મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. કણઝારીયાએ સાહિત્ય વિષયમાં ટૂંકી વાર્તા, વાર્તાના ઈતિહાસથી લઈને આજના સમયમાં લખાતી ટૂંકી વાર્તા વિષે વાત કરી હતી. સાહિત્ય ગોષ્ઠીમાં ધૂમકેતુ, રા.વી.પાઠક, ઈશ્વર પેટલીકરની ટૂંકી વાર્તા વિષે વાતો કરી હતી આ સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમમાં રોટરી કલબના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ કલબના પ્રમુખ રૂપેશ પરમાર (કવિ જલરૂપ) સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા સાહિત્ય ગોષ્ઠીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:56 am IST)