Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઉનાઃ અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

 ઉના તા. ૧૬ : ગીરગઢડા પોલીસે તુલશીશ્યામ પાસેથી એકવરસ પહેલાનો અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડેલ છે.

ગીરસોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી ગીરીગઢડાના પી.એસ.આઇ. કે.એન. અઘેરા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વીયજસિંહ ગોવિંદભાઇ વાઝા, ઇલ્યાસભાઇ, કલ્પેશભાઇ કરશનભાઇ રામશંકર બટુક શંકર પંડયા પેટ્રોલીંગમાં હતા ત્યારે તુલશીશ્યામ તિર્થધામ મંદિરની સામે બસસ્ટોપ પાસે એક યુવાન ઉભો હતો ત્યારે નામ પુછતા રાઘવભાઇ ઉર્ફે રઘુભાઇ નનુભાઇના રૈયા રોડ ચીખલ કુબા તા.ગીરગઢડા દ્વારા ખાંભા આશ્રમ વાડીવાળાની માહિતી આપતા આ યુવાન ર૦૧૮ ની સાલમાં એક અપહરણના ગુનામાં કલમ ૩પપ, ૩પ૩માં નાસતો ફરતો હોય પકડી પાડી ગીરગઢડા પોલીસ સ્ટેશને લાવી ધરપકડ કરી હતી. અને ગુનાનો આરોપી પકડાતા વધુ પુછપરછ શરૂ કરી છે અને કોર્ટમાં રીમાન્ડ માટે લઇ જવા તજવીજ હાથ ધરી છે.

(11:55 am IST)