Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

મહુવાથી ભરૂચના કતલખાને લઇ જવાતા ગૌવંશને ભાવનગર જીવદયા પરિવારે બચાવ્યા

ભાવનગરની અનરી ચોકડી પાસેથી ઝડપી લઈને બે શખ્શોને વરતેજ પોલીસને સોંપાયા

ભાવનગરમાં જીવદયા પરિવારને વધુ એક સફળતા, 4 ગૌવશંને બચાવ્યા ભાવનગરની નારી ચોકડી પાસે એક પરિવારે મહુવાથી કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવી લીધા છે. 

    આ અંગે મળતી વિગત મુજબ મહુવાથી ચાર બળદને ભરૂચના કતલખાને લઈ જવામાં આવતા હતા. ત્યારે નારી ચોકડી પાસે એક જીવદયા પરિવારે આઈસરને અટકાવી હતી. તેમજ ચાર પશુઓને બચાવી લીધા હતા. અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોને વરતેજ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:14 pm IST)