Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

લોકડાયરામાં નાકિયાને જીતાવડવાની અપીલનો રેલોઃ નાકિયાને ચૂંટણી પંચની નોટીસ સુધી લંબાયો

જસદણ : રાજકોટનાં જસદણ પેટાચૂંટણીનો ધમધમાટ હજી યથાવત છે. ત્યારે જસદણ કોંગ્રેસનાં ઉમેદવારને નોટિસ અપાઇ છે. કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને લોક ડાયરાના કાર્યક્રમમાં તેમને જીતાડવાની અપીલ કરાઈ હતી તે અંગે નોટિસ અપાઇ છે. 

ચૂંટણી પંચ તરફથી અવસર નાકિયા આચારસંહિતા ભંગની નોટિસ અપાઇ હતી. વિંછીયામાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ તરફથી આ ડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા ડાયરામાં અપીલ કરાઇ હતી. જેના બાદ આ મામલો ચૂંટણી પંચના કાન સુધી પહોંચ્યો હતો. તેના બાદ આ અંગે વિવાદ પણ  ઉભો થયો હતો. હવે આ મામલે હવે જસદણ કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને નોટિસ અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે, અવસર નાકિયા 20મી ડિસેમ્બરના યોજાનારી જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમની સામે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા લડી રહ્યા છે, જેઓએ આ વર્ષે જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપનું દામન પકડ્યું હતું. હાલ કુંવરજી બાવળીયા પણ પોતાના આ રાજકીય ગઢમાં રંગેચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

(1:15 pm IST)