Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

વાંકાનેરના રાતાવીરડા ગામે બાઈકની ચાવી દેવા બાબતે થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા, બે આરોપી ઝડપાયા

        વાંકાનેરના રાતાવીરડા ગામે યુવાનને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને બે આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

વાંકાનેરના રાતાવીરડા ગામે જગા ઉર્ફે જગશી લખમણ કૂણપરા નામના યુવાને માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ જી.આર.ગઢવી સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના પિતા લખમણભાઈ જેરામભાઈ કુણપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સંજય ભગવાનજી ઉકેડીયા રહે રાતાવીરડા અને સંદીપ રાયસિંગ માલવી હાલ સરતાનપર રોડ, મૂળ એમપી વાળાએ બે શખ્શોએ તેની હત્યા કરી હોવાનું હતી એક માસ અગાઉ બાઈક ચાવી દેવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી મારામારી કરી તેમજ માથામાં પથ્થરના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું હત્યા અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી બંને આરોપીને ઝડપી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે 

(11:57 am IST)