Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

શિહોરમાં દિપડો ત્રાટકયોઃ વાછરડાનું મારણ

ભાવનગર તા.૧૫: શિહોરના ટાણા રોડ ઉપર આવેલ હરિહર બાપુના આશ્રમ પાછળના ભાગે આવેલ વાડીમાં ગત રાત્રીના દીપડાએ વાછરડાનું મારણ કરેલ જે અંગે આશ્રમના સેવકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે શિહોર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવેલ અને આ અંગેની જાત માહિતી પંચરોજ કામ કરેલ પરંતુ જંગલી પશુ કોઇ શિકાર કે પાણીની તરસ છીપાવવા હવે આ હરિહર બાપુના આશ્રમથી માત્ર ૧૦૦ મીટર દૂર રહેણાંકી વિસ્તારમાં આવતો હોય જેથી શહેરી વિસ્તારના આ છેવાડાના વિસ્તારો અને પહાડી વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:29 pm IST)