Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બેટ દ્વારકાધીશ જગત મંદિરમાં ધનુર્માસ કારણે શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર

 દ્વારકા તા. ૧પ :.. આવતીકાલથી ધનુર્માસના તહેવારોનો પ્રારંભ થતો હોય બેટ દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર નોંધાયો છે. જે મુજબ આગામી માસમાં સાત અલગ અલગ તિથીઓએ ધનુર્માસ સબબ શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર થયો હોવાનું બેટ દેવસ્થાન સમિતિના વ્યવસ્થાપકશ્રીની યાદીમાં જણાવાયું છે.

(૧) માગસર સુદ ને શનિવાર તા. ૧પ-૧ર-ર૦૧૮ ના રોજ

૧. ઉત્થાપન દર્શન           સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી

(ર) માગસર સુદ ૯ ને રવિવાર તા. ૧૬-૧ર-ર૦૧૮ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૭ થી ૧ર વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન           સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી

(૩) માગસર વદ ૧૧ ને મંગળવાર તા. ૧-૧-ર૦૧૯ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૭ થી ૧ર વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન           બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી

(૪) માગસર વદ ૧ર ને બુધવાર તા. ર-૧-ર૦૧૯ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન           બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી

(પ) માગસર વદ ૧૩ ને ગુરૂવાર તા. ૩-૧-ર૦૧૯ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન           સાંજે ૪ થી સાંજે ૭ વાગ્યા સુધી

(૬) માગસર વદ ૧૪ ને શુક્રવાર તા. ૪-૧-ર૦૧૯ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૭ થી ૧ર વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન         સાંજે ૪ થી સાંજે ૭ વાગ્યા સુધી

(૭) પોષ સુદ ૯ ને મંગળવાર તા. ૧પ-૧-ર૦૧૯ ના રોજ

૧. મંગલા થી મીઠાજળ      સવારે ૭.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી

ર. ઉત્થાપન દર્શન           સાંજે પ થી સાંજે ૮ વાગ્યા સુધી

આ તિથીઓમાં વિશેષ પૂજન અર્ચન સાથી શ્રીજીના દર્શન મનોરથનો લાભ લેવા તમામ વૈષ્ણવોને પધારવા પણ બેટ દેવસ્થાન સમિતિના વહીવટદારશ્રીની યાદીમાં જણાવાયું છે. (પ-૧૩)

(12:28 pm IST)