Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પ્રભાસ પાટણમાં શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન

 પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણ મુકામે સ્વ.અવંતીલાલ લક્ષ્મીશંકર ત્રિવેદી પરીવાર દ્વારા મહાવિષ્ણુયાગનો પ્રારંભ કરવામાં આવેલ છે. બે દિવસ ચાલનાર આ યજ્ઞની પુર્ણાહુતિ આજે સાંજે ૬-૦૦ કલાકે થશે. સોમપુરા બ્રહ્મ સમાજના અગ્રણી જયદેવભાઇ જાની, દુષ્યંતભાઇ ભટ્ટે યજ્ઞ સ્થળ સોમપુરા બ્રહ્મસમાજની વાડી ખાતે પધારી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો તસ્વીરમાં યજ્ઞમાં જોડાયેલ યજમાનો નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ) (૧૧.૬)

 

(12:09 pm IST)