Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

માંગરોળના મકતુપુરની પરિણીતા પર બે ભાઇઓનો બળાત્કાર

જુનાગઢ તા.૧પ : માંગરોળના મકતુપુરની પરિણીતા પર બે ભાઇઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરીયાદ થઇ છ.ે

આ અંગેની વિગતો એવી છે કે માંગરોળ તાલુકાના મકતુપુર ગામની બાવીસ વર્ષીય પરિણીતા ગત તા. બે ડિસેમ્બરે પોતાની વાડીએ બકરાને ચારો નાંખતી હતી.

ત્યારે તેના જ ગામનો અઝહર હુસેન ઢેબાર અનેતેનો ભાઇ અકસદે અલી ચકી પરિણીતાને ગાળો કાઢી અને ધમકી આપીને બંને ભાઇએ પરિણીતા પર વારાફરતી દુષ્કર્મ આચયુંર્ હતું. આ અંગે ભોગ બનનાર પરિણીતા યુવતિએ ગઇકાલે ફરીયાદ કરતા માંગરોળ મરીન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.(૬.૨૦)

(12:07 pm IST)