Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગરમાં ઈંડા-નોન વેજની લારી હટાવવાનો મુદ્દો ગરમાયો :વિપક્ષે એકતરફી નિર્ણય નહિ લેવા મેયરને આવેદન આપ્યું

લોકોનો રોજગાર ન છીનવવા રજૂઆત કરી : મેયરે નગરસેવકો અને વિવિધ સંસ્થાઓ પાસે અભિપ્રાય માગ્યો

જામનગરમાં જાહેર સ્થળેથી ઈંડા-નોનવેજની લારી હટાવવાનો મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે મેયરને આવેદન પાઠવી લોકોનો રોજગાર ન છીનવવા રજૂઆત કરી છે. વિપક્ષનું કહેવું છે કે, ઇંડા, નોનવેજની લારીઓથી નાના ધંધાર્થીઓનું ગુજરાન ચાલી રહ્યું છે સાથે જ મેયરને અપીલ કરી છે કે, એક તરફી નિર્ણય ન લે અને તમામ લોકોની દરકાર લેવી જોઈએ.બીજી તરફ મેયરે નગરસેવકો અને વિવિધ સંસ્થાઓ પાસે અભિપ્રાય માગ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હિન્દુ સેના, કેટલીક સંસ્થાઓ અને સંગઠનો લારી હટાવવાની માંગ કરી ચુક્યા છે.

(11:16 pm IST)