Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ધ્રોલ તાલુકાના જાયવા ગામના ખેડુતો દ્વારા પાકમાં નુકશાન મુદ્દે વળતરની માંગ સાથે મામલતદારને રેલી સાથે આવેદન

ધ્રોલઃ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામના ખેડુતો દ્વારા આજે બપોરે મામલતદારશ્રીને રેલી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જય કિશાન જય કિશાનના નારા લગાવીને ખેડુતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વાવાઝોડુ, કમોસમી વરસાદ સહીતથી કપાસ, મગફળી સહીતના પાકને નુકશાન થતા તાત્કાલીક વળતર ચુકવવા માંગણી કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:09 pm IST)