Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભાવનગરના બુધેલના પૂર્વ સરપંચના સમર્થનમાં રાજપૂત સમાજની આંદોલનની ચિમકી

ભાવનગર તા.૧૬: ભાવનગરના બુધેલના પૂર્વસરપંચના સર્મથનમાં રાજપુત સમાજે કલેકટરને આવેદનપત્રી ખોટો લૂંટ કેસ કરી રજાંડ કરવામાં આવી રહી છે અને તમામ ઘટના  રાજકીય કિન્નખોરીથી પ્રેરીત છે તેવો આરોપ કરી ન્યાય નહિ મળતો રાજપૂત સમાજ રોડ પર ઉતરશે તેમ જણાવાયુ છે.

ભાવનગરનાં બુધેલગામના સરપંચ અને પૂર્વ સરપંચ અને મારામારી અને લૂંટની ફરીયાદ નોંધાઇ છે. અને વેપારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.ત્યારે રાજપુતસમાજના અગ્રણીઓ પૂર્વસરપંચ દાનસંગભાઇ મોરીના સમર્થનમાં આવ્યા છે. અને રાજપુત સમજાના આગેવાનો અને બુધેલના રહીશોએ જીલ્લા કલેટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે પૂર્વ સરપંચ દાનસીંગભાઇએ કેટલાક શખ્સોને ગેરકાયદે પ્રવૃતિ ચાલવા ન દીધી તેવી તેના પર અંગત દાઝ રાખી ખોટા કેસ કરીને કરવાની પેરવીઓ કરવામાં આવી રહી છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(12:10 pm IST)