Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પોરબંદરમાં અસ્માવતી ઘાટ રીવરફન્ટ-૨ સાકાર કરવા માટે દરખાસ્ત કરવા નિર્ણય

પોરબંદર તા.૧૬: કર્તીખાત પાસે રીવરફ્રન્ટ સાકાર થયાં બાદ જૂના બંદર અસ્માવતી ઘાટ સ્થળે રીવરફ્રન્ટ-૨ સાકાર કરવા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી મીટીંગમાં પ્રવાસના વિભાગને દરખાસ્ત કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અસ્માવતી ઘાટ રીવરફ્રન્ટ-૨ પ્રોજેકટ માટે પ્રાથમિક તબકકે ૪૫ કરોડથી વધુ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે સાથે રાણાવાવ અને કુતિયાણા પ્રવાસન સ્થળોને વિકાસ કરવાનો સમાવેશ થાય છે. દરખાસ્ત મંજુર થયે શહેરનો બીજા રીવરફ્રન્ટની ભેટ મળશે.

(12:05 pm IST)