Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મોરબી કોર્પોરેશન દરજ્જો તથા પીજીવીસીએલમાં મેન્ટેનન્સ સ્ટાફ વધારવા રજુઆત

મોરબી,તા.૧૬:  સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા અને કિશોરભાઈ ભાલોડીયાએ તાજેતરમાં મોરબી જીલ્લા પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને મળીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોરબીના વિકાસ અને વસ્તી વિસ્તારને ધ્યાને લેતા મોરબીને કોર્પોરેશનનો દરજ્જો મળે તેમજ કર સમાધાન યોજનામાં પણ જરૂરી સુધારા વધારા કરવા માટે માંગણી કરી હતી

મોરબીના સિરામિક ઉદ્યોગને ઉત્પાદન માટે ૨૪ કલાક વીજળીની જરૂરિયાત રહેતી હોય છે જેથી પીજીવીસીએલમાં મેન્ટેનન્સ સ્ટાફ વધારવામાં આવે તેવી માંગ પણ કરી છે ત્યારે મોરબી સિરામિક એસોના હોદેદારોની રજૂઆતને પગલે યોગ્ય કરવા સૌરભભાઈ પટેલે ખાતરી આપી હતી.

(12:03 pm IST)