Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મોરબીના બિપીનભાઇ વ્યાસના મુખેથી જ્ઞાનમંત્ર માણસમાં પ્રધાન પરિવાર દ્વારા સોમવારથી ભાગવત સપ્તાહ

રાજકોટ તા.૧૬: ગાંધીનગર પાસેના માણસામાં નાગર વણિકવાડી, વાવ દરવાજા બહાર શ્રમતી જયશ્રીબેન અને શ્રી પ્રકાશભાઇ એમ. પ્રધાન પરિવાર દ્વારા તા. ૧૮થી ૨૪ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે.

વ્યાસાસને મોરબીના સુપ્રસિધ્ધ કથાકાર શ્રી બિપીનભાઇ વ્યાસ બિરાજી સંગીતમય શૈલીમાં જ્ઞાનગંગા વહેવડાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે. સૌન કથા શ્રવણનો લાભ લેવા માટે પ્રધાન પરિવારે જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

(11:52 am IST)